Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગાંધીધામમાં કસ્ટમ સુપ્રી.ના ઘરમાં તસ્કરોએ ખાતર પાડયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્છમાં તરખાટ મચાવતાં તસ્કરોએ કસ્ટમ અધિકારીના ઘરમાં ખાતર પાડી ચકચાર સર્જી છે. મંદિર ચોરીની સાથે ઘરફોડ ચોરીના વધતાં જતાં બનાવો સાથે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો છે.

ગાંધીધામ સાથે ના જોડીયા શહેર આદિપુરમાં રહેતા કસ્ટમ સુપ્રી. સંજય જયંતીલાલ પ્રજાપતિના બંધ ઘરમાં તસ્કરોએ તિજોરી ના તાળા તોડી ૫૪ હજારની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલે મુન્દ્રા પોર્ટ ઉપર ફરજ બજાવતા આ કસ્ટમ અધિકારીનો પરિવાર અમદાવાદમાં રહે છે. પોતે મુન્દ્રા રહે છે અને શનિ, રવિ રજામાં આદિપુર ઘેર આવે છે. પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)