Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

બે બાઈક વચ્‍ચે અકસ્‍માત : બે યુવકના મોત

ભાવનગર તા.૬ : ઘોઘાના અવાણિયા ગામ નજીક બે મોટરસાઇકલ વચ્‍ચે અકસ્‍માતની ઘટનામાં બે યુવકના મોત નીપજ્‍યા હતા, જ્‍યારે એક યુવતીને ઇજા થતાં સારવાર અર્થે ભાવનગર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

વિગતો મુજબ ભડભડિયા ગામમાં રહેતા નયનભાઈ વિપુલભાઈ ખસિયા ( ઉ.વ.૧૯) અને તેના મોટા બહેન સુનિતાબેન ગઈકાલે મોટરસાઇકલ નં. જી.જે.૦૪ ડી.એસ.૭૬૨૪ લઈને અવણીયા ગામમાં આવેલ કિરણ સોલ્‍ટમાં જઈ રહ્યા હતા ત્‍યારે અવાણીયાની દરગાહ નજીક પીપળીયા પુલ તરફથી આવી રહેલ મોટરસાઇકલ નં. જી.જે.૦૪ એ.આર.૩૦૫૨ સાથે અકસ્‍માત થતા નયનભાઈનું બનાવ સ્‍થળે મોત નીપજ્‍યું હતું.અકસ્‍માતની ઘટનામાં ઇજાગ્રસ્‍ત સુનિતાબેન અને સામે વાળા મોટરસાઇકલના ચાલક રાજેન્‍દ્રસિંહ કરશનજી જાડેજા (ઉ.વ.૨૪) રહે. નિર્ભય સોસાયટી, ભાવનગરને ઇજા થતા સારવાર અર્થે ભાવનગર હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ જ્‍યાં રાજેન્‍દ્રસિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું.અકસ્‍માતની આ ઘટના અંગે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:58 pm IST)