Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ધોરાજીના રસીલાબેન ચોવટીયાનું ચક્ષુદાન

ધોરાજી તા. ૬ : કુંભારવાડા વિસ્‍તારમાં રહેતા રસીલાબેન રોહીતભાઇ ચાવટીયા ઉવ ૩૦ વાળાનું અવસાન થતાં પરીવારજનોએ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકી ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે અધીક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો.ગૌરવ હાથલીયા અને મેડીકલ ટીમના નીતીન સાગઠીયા, રોહિત સોંદરવા અને ગીતાબેન બોરીચા દ્વારા સ્‍વ.ના ચક્ષુદાનઓને માનવ સેવા યુવક મંડળને સોંપાતા ચક્ષુઓ રાજકોટ જી.ટી. શેઠ સરકારી હોસ્‍પીટલ ખાતે મોરલાયા હતા. આ તકે રોહિતભાઇ ચોવટીયા, દેવેન્‍દ્રભાઇ ચોવટીયા, ચંદુભાઇ ચોવટીયા, રાજુભાઇ બાલધા, કેતન કાછડીયા, મીત બાલધા, જેન્‍તી બાલધા સહીતના લોકો હાજર રહી માનવ સેવા યુવક મંડળની સેવાઓને બીરદાવી હતી. માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા બીરદાવી સ્‍વ.ને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. આ સાથે માનવ સેવા યુવક મંડળને ૮૪મું ચક્ષુદાન મળ્‍યું હતું

(1:40 pm IST)