Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ભાવનગરમાં આજે કોરોના ઓલ ટાઇમ હાઇ 94 કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૭,૩૪૩ કેસો પૈકી ૫૮૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૯૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૩૪૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૨ પુરૂષ અને ૨૩ સ્ત્રી મળી કુલ ૬૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૧૫, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૩, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઝરીયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભડલી ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૨ અને તાલુકાઓમાં ૧૩ કેસ મળી કુલ ૪૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૭,૩૪૩ કેસ પૈકી હાલ ૫૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:57 pm IST)