Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જામનગરમાં રાત્રી કર્ફ્યુનો પગલે સમગ્ર શહેરમાં સન્નાટો : વિવિધ વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ તહેનાત

જામનગર શહેરમાં વધી રહેલા કોરોના કહેરને લઈને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા રાત્રી કર્ફ્યુ ને પગલે 09:00 વાગ્યા આસપાસ સમગ્ર શહેરમાં સન્નાટો છવાઇ ગયો હતો. આઠ વાગ્યા પહેલા જ લોકો પોતાના ધંધા-રોજગાર બંધ કરી ઘરે જતાં જોવા મળ્યા હતા રાત્રી કર્ફ્યુ ના પ્રથમ દિવસે જામનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી અને રસ્તામાં બિનજરૂરી પસાર થતા લોકોને પણ અટકાવી સમજાવી ઘરે મોકલવામાં આવ્યા હતા. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(10:05 pm IST)