Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રવિવારે વાંકાનેરમાં RSS દ્વારા બ્લડ -પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન

(નિલેશ ચંદારાણા દ્વારા)વાંકાનેર, તા.૭: ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંક રાજકોટના સહયોગથી તારીખ ૯ને રવિવારે વાંકાનેરમાં બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાયત્રી કોવિડ કેર સેન્ટર વાંકાનેર ખાતે આવતા રવિવારે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થનાર આ કેમ્પમાં કોવિડથી સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓ પોતાનું પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ ઉપરાંત આ સ્થળે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત કેમ્પ બાબતે વધુ જાણકારી માટે હિરેન પારેખ (૯૨૨૭૮ ૨૧૯૯૯), પ્રજ્ઞેશભાઈ પટેલ (૯૮૨૫૨ ૨૨૮૫૫), ચેતનભાઈ ગોસ્વામી (૯૭૨૩૩ ૬૦૬૬૬) અને રાહુલ જોબનપુત્રા (૯૨૬૫૦ ૬૬૦૯૬) પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં બ્લડ અને પ્લાઝમાની ખૂબ મોટી જરૂરત મોટા શહેરોમાં ઉભી થઇ છે. વારંવાર બ્લડ માટેની અપીલો સોશ્યલ મીડીયામાં જોવા મળે છે. ત્યારે વાંકાનેર ખાતે ગાયત્રી કોવીડ કેર સેન્ટર ઉપર સતત સેવા આપતા હીરને પારખે, જસદણ સિરામીકના ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ચેતનગીરી ગોસ્વામી, રાહેલ જોબનપુત્રા, રૂષીભાઇ ઝાલા, દિપક પટેલ, મહાવીરસિંહ ઝાલા સહિતના મિત્રોએ વર્તમાન સમયને ધ્યાનમાં રાખી 'આપણુ બ્લડ કોઇની જીંદગી બચાવી શકે છે.'એ સુત્રને ધ્યાનમાં રાખી ઉપરોકત તારીખ-વાર અને સમયે આ કેમ્પ મેળવી બ્લડ ડોનેડ કરવા આયોજકોએ અપીલ કરી છે.

(11:38 am IST)