Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ભાજપ ના લોકો બંગાળ ના પ્રશ્ને ધરણા કરે છૅ, હાલના કપરા સમય મા લોકો ને મદદ કરવી જોઈએ તેના બદલે પાર્ટી ના ખેસ પહેરીને પીડિત જનતા સામે તાયફા કરવાની એક પણ તક ચુકતા નથી : અર્જુનભાઇ મોઢવાડિયાના જૂનાગઢમાં પ્રહારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:: જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ ની અચાનક મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ  કોંગ્રેસ સમિતી ના આદરણીય પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેઓ એ જૂનાગઢ હોસ્પિટલની  સ્થિતિ વિશે વાકેફ થયેલ અને જાનના જોખમે કોવિડ વોર્ડ મા જય દર્દી ઓની રૂબરૂ જય મુલાકાત લીધી હતી

અને સરકારી સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો તથા  સ્ટાફ ની  પ્રસંશા કરી હતી.

આટલી મોટી સિવિલ હોસ્પિટલમા  સ્ટાફ ની બેડ ની ઓક્સિજન વેન્ટિલેટર ની કમી  હોય જેના કારણે કોરોના પ્રોજિટિવ દર્દી ઓ સરકાર ની નિષ્ફળતા ના કારણે ટપો ટપ મરી રહ્યા છૅ  તે  બાબતે ધરણા કરવાને બદલે   ભાજપ ના લોકો બંગાળ ના પ્રશ્નને ધરણા કરે છૅ હાલના કપરા સમય મા લોકો ને મદદ કરવી જોઈએ તેના બદલે પાર્ટી ના ખેસ પહેરીને પીડિત જનતા સામે તાયફા કરવાની એક પણ તક ચુકતા નથી  વધુમા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યુ કે ગુજરાત મા કુલ વસ્તી માથી ઍક ટકા થી  પણ ઓછા લોકો ને આ બીમારી છૅ છતાંય પણ  રાજ્યની ભાજપ સરકાર  આરોગ્યની સેવા પુરી પાડી શક્તિ નથી તે સરકાર તમામ ક્ષત્રે નિષ્ફળછૅ તેવુ જણાવ્યુ હતુ આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા. વિસાવદર ના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયા જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઇ જોશી  માંગરોળ ના ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા  જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી સીડા તથા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મઁત્રી ફારૂક સુમરા તથા અન્ય કાર્યાલય મન્ત્રી પિયુસ વૈશ્નાણી સહીત ના હાજર રહેલ 

લી. વી ટી સીડા 

મહામંત્રી 

જિલ્લા કોંગ્રેસ જૂનાગઢ

(4:05 pm IST)