Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભુપેન્‍દ્રભાઇ પટેલ જામનગરમાં : ભાગવત કથાનું શ્રવણ

પૂ.રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને ધર્મેન્‍દ્રસિંહ જાડેજા પરિવાર આયોજીત ભાગવત કથા કાલે વિરામ લેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭: જામનગરના ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્‍યું છે, જે ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં આજે બપોરે ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ હાજરી આપશે, અને વ્‍યાસપીઠ નું પૂજન કરી કથા શ્રવણ કરનાર છે.

ગુજરાત રાજયના પૂર્વ રાજય મંત્રી અને ભાજપના ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં પૂજય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે, ત્‍યારે ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીને પણ ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું હકુભા જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું હતું.

ᅠજે નિમંત્રણ મુખ્‍યમંત્રી દ્વારા સહર્ષ સ્‍વીકાર કરવામાં આવ્‍યું છે અને જામનગર આવી પહોંચશે, તેવો સંદેશો મળ્‍યો છે.

ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આજે અમદાવાદ-ગાંધીનગરથી નીકળીને જામનગરના એરપોર્ટ પર હવાઇ માર્ગે આવી પહોંચ્‍યા પછી મોટરમાર્ગે ૧૧.૩૦ વાગ્‍યે પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં કથા સ્‍થળે પહોચશે, અને ત્‍યાં વ્‍યાસપીઠ નું પૂજન કર્યા પછી પૂજય રમેશભાઈ ઓઝા પાસે આશીર્વચન મેળવશે. ત્‍યાર પછી તેઓ ૨૦ મિનિટ થી અડધો કલાક નું રોકાણ કરીને ફરીથી અમદાવાદ-ગાંધીનગર પરત ફરશે.

(10:58 am IST)