Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જસદણમાં કાલે સૌપ્રથમ શ્રી પ્રેમવતી મહિલા સંસ્‍કાર મંદિરનું લોકાર્પણ

(નરેશ ચોહલીયા દ્વારા) જીદણ,તા.૭ : જસદણ શહેર ના નવા ડેપો પાસે કૈલાશ નગરમાં આવેલ મુખ્‍ય સ્‍વામિનારાયણ મંદિર સંચાલિત અને સ્‍વામી ધર્મનંદન દાસજીના વડપણ હેઠળ કૈલાશ નગરમાં મુખ્‍ય સ્‍વામિનારાયણ મંદિરની બાજુમાં પ્રેમવતી મહિલા મંદિરનું ભવ્‍ય નિર્માણ કરવામાં આવ્‍યું છે જેની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ ૮ ને રવિવારના રોજ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદ દાસજી  મહારાજ તથા પુજ્‍ય ગુરુવર્ય મહંત સ્‍વામી શ્રી દેવ કળષ્‍ણ દાસજી સ્‍વામીના વરદ હસ્‍તે લોકાર્પણ પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાશે આ તકે મુખ્‍ય સ્‍વામિનારાયણ મંદિરના પૂજ્‍ય ધર્મનંદનદાસ સ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે મહિલા પાંખ દ્વારા સત્‍સંગ પોષણ અને પ્રવર્તન થતું રહે તેવા હેતુથી રાજકોટ ગુરુકુળ સંસ્‍થાના પુજ્‍ય ગુરુવર્ય મહંત સ્‍વામી જી શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી તથા દેવ પ્રસાદ સ્‍વામી ના આશીર્વાદ સહ તેમજ પૂજ્‍ય  ધર્મવલ્લભ દાસજી સ્‍વામીની પ્રેરણાથી તૈયાર થયેલ ઉત્તમ નકશી અને બાંધણી વાળું ત્રણ માળનું ભવ્‍ય શ્રી પ્રેમવતી મહિલા સંસ્‍કાર મંદિરનું ઉદ્ધાટન અને મૂર્તિ -તિષ્ઠા વડતાલ ગાદીપતિ લક્ષ્મીનારાયણ દેવ ગાદીપતિ  પૂજ્‍ય ધર્મ ધુરંધર ૧૦૦૮ રાકેશ પ્રસાદ દાસજીના વરદ હસ્‍તે થશે આ પ્રસંગે ધર્મ સત્‍સંગ પ્રતિષ્ઠા ભોજન પ્રસાદ તેમજ સંતોના દર્શન આશીર્વાદ નો લાભ લેવા સર્વે હરિભક્‍તોને પધારવા પુજ્‍ય ધર્મનંદનદાસજી સ્‍વામી એ અનુરોધ કરેલ છે.

(1:46 pm IST)