Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જૂનાગઢ જગન્‍નાથ ચરિત્ર ગાથામાં સાધુસંતો આગેવાનોનું સન્‍માન

જૂનાગઢ : ભારતી આશ્રમ ખાતે ગત તા. ૧ મેથી ૭ મે શનિવાર સુધી ગિરનારી સાધક રતિદાદા જોષી પરિવાર દ્વારા આયોજીત જય જગન્‍નાથ ચરિત્ર ગાથાનું ડો. મહાદેવપ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં ગઇ કાલે સતાધાર આપાગીગાની જગ્‍યાના મહંત પૂ.વિજયબાપુ તથા ભવનાથ અવધૂત આશ્રમમાં મહંતા મહાદેવગીરી બાપુ તેમજ જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતનાનું જગ જગન્‍નાથજીનું ઉપવષાી ઓઢાડી છબી અર્પણ કરી મહાદેવપ્રસાદ મહેતાના હસ્‍તે સન્‍માન કરાયુ હતું. તેમજ આ કથાના આયોજક હિમાન્‍સુભાઇ તથા પ્રો.વિશાલજોષીનું સમસ્‍ત બ્રહ્મસમાજના હસુભાઇ જોષી શૈલેષભાઇ પંડયા દાતાર સેવક બટુક બાપુ સહિતના એસમાન કર્યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. આ તકે કથા શ્રવણ કરવા કુલપતિ ચેતનત્રિવેદી ધારાસભ્‍ય જવાહરભાઇ ચાવડા, ગોવિંદભાઇ પરમાર, કેશોદથી રામભાઇ કેશવાલા તથા બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:15 pm IST)