Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગરમાં ભાગવત કથામાં અનેક દિવ્‍યાંગ ભાઇ-બહેનોના હસ્‍તે ભાગવતજીની આરતી

જામનગરની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા શ્રી ભાગ્‍યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટ ના મુખ્‍ય ટ્રસ્‍ટી શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા ના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન દરરોજ સમાજના ભિન્ન ભિન્ન વર્ગના લોકોના હસ્‍તે કથાસત્ર સમાપ્તિની આરતી ઉતારવાનો મનોરથ સાર્થક કરવાના ભાગ રૂપે યજમાને આજે છઠ્ઠા દિવસે શહેરના દિવ્‍યાંગ - પ્રજ્ઞાચક્ષુ સમુદાયના હસ્‍તે આરતી ઊતરાવીને ધર્મ લાભ લીધો હતો. શ્રી હકુભા જાડેજા ખૂદ તેઓની સાથે જોડાયા હતા. સમાજના આવા પીડિત, શોષિત, વંચિત વર્ગને પણ આવા ધાર્મિક કાર્ય થકી સમરસતામાં અને સમાજની મુખ્‍ય ધારામાં જોડવાના આ પ્રયાસને કથાકારે પણ મૂક્‍ત કંઠે બિરદાવ્‍યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:21 pm IST)