Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગર શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં પૂજ્‍ય ભાઇશ્રીએ હાજરી આપી શ્રીનાથજીની આરતી ઉતારીઃ

જામનગર : આંગણે ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના છઠ્ઠા દિવસે રાત્રી કાર્યક્રમમાં શ્રીનાથજી ની ઝાંખી નો ઉત્‍સવ ઉજવાયો હતો.જેમાં ભાગવતાચાર્ય પૂજય રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી) ઉપસ્‍થિત રહ્યા હતા, અને મંચ પરથી રજૂ થયેલા શ્રીનાથજીના ભજનો જાતે સાથે ગાઇને ભાવવિભોર બન્‍યા હતા. ઉપરાંત શ્રીનાથજી ની અસ્‍ટસમાં ની ઝાંખી પૈકીની આરતીના દર્શન માં જોડાયા હતા, અને શ્રીનાથજી ની આરતી ઉતારી હતી, અને ત્‍યારબાદ સાષ્‍ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા. શ્રીનાથજીની ઝાખીના કાર્યક્રમમાં બાલ કૃષ્‍ણના અવતારનું ભજન રજૂ કરીને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી' ની ધૂન સાથે વાસુદેવજી બાળકૃષ્‍ણને લઈને કથામંડપમાં પહોંચ્‍યા હતા, ત્‍યારે ભાઈજી દ્વારા બાળકૃષ્‍ણ પર પુષ્‍પવૃષ્ટિ કરી વધામણા કર્યા હતા, એટલું જ માત્ર નહીં બાળ કૃષ્‍ણને નમન પણ કર્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:09 pm IST)