Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અધૂરા અભ્‍યાસ માટે ભારતમાં વ્‍યવસ્‍થા કરવા જામનગરમાં યુક્રેનથી પરત ફરેલા છાત્રોની સહી ઝુંબેશ સાથે માંગણી

જામનગર,તા. ૭ : યુક્રેન રસિયા યુદ્ધમાં ભારતમાં પરત ફરેલા વિદ્યાર્થીઓ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાના કમ્‍પાઉન્‍ડમાં હાલારના દ્વારકા અને જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ એકત્ર થઈ સહી ઝુંબેશ હાથ ધરી છે.

યુક્રેનની યુધ્‍ધની આ પરિસ્‍થિતિમાં કોપરેશન ગંગા હેઠળ પરત ફર્યા બાદ ડોક્‍ટરી, એન્‍જિનિયરીંગ સહિતના ઉચ્‍ચ અભ્‍યાસક્રમ અટકતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થયો છે.

ત્‍યારે જામનગરમાં સહી ઝુંબેશ હાથ ધરી ભારત સરકારને અહીં ભારતમાં અધુરો રહી ગયેલ અભ્‍યાસ કરવા માટે વ્‍યવસ્‍થા કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:12 pm IST)