Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વંથલીના નાવડામાં યુવતિ અને માણાવદરના નાનડીયામાં યુવાનનો આપઘાત

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૭ : વંથલીના નાવડા ગામે યુવતિએ અને માણાવદરના નાનડીયામાં યુવાને આપઘાત કર્યાનું જાણવા મળેલ છે.
ધોરાજીના મોટી મારડ ગામની વતની રીટાબેન ચીમનભાઇ કલોતરા (ઉ.વ.૨૭) નામની યુવતિએ વંથલી તાલુકાના નાવડા ગામે મામાના ઘરે ઝેરી દવા ગટગટાવીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. જ્‍યારે માણાવદર નજીકના નાનડીયા ગામે રહેતો પ્રવિણ છગનભાઇ પરમાર (ઉ.૨૯) નામના યુવાને કોઇ કારણસર પોતાનાઘરે ગળાફાંસો ખાય લેતા હેડ કોન્‍સ્‍ટેબલ જે.આર.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

 

(1:53 pm IST)