Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગરનાં વોડી સાંગ (જુનો ટીંબા) ખાતે સુરાપુરાદાદાના સાનિધ્‍યમાં સંતવાણી

ફલ્લા : જામનગરના કાલાવડ - રણુજા પાસે આવેલ વોડીસાંગ (જુનો ટીબા) ખાતે બીરાજમાન સર્વે સુરાપુરા દાદાનાં સાનિધ્‍યમાં હોમ, હવન, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણી સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં. લૈયા, હેરભા, અગ્રાવત, જાડેજા, ગોંડલીયા, જીંજૂવાડીયા વગેરે પરિવારનાં સુરાપુરા એક સાથે બીરાજમાન છે. અહીં દરેક પરિવારનાં ભાઇઓ સાથે મળીને કાર્યક્રમો યોજે છે. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિપુલ પ્રજાપતિ, મનીશાબેન પ્રજાપતિ, મુનાભાઇ નીમાવત વગેરેએ સવાર સુધી શ્રોતાઓને સંતવાણી સાહિત્‍ય તથા હાસ્‍યરસ પીરસ્‍યા હતાં. જયારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિનાં પ્રમુખ વશરામભાઇ લૈયા તથા દરેક સુરાપુરા સમીતિનાં આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર - અહેવાલ : મુકેશ વરિયા-ફલ્લા)

 

(1:56 pm IST)