Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગરના લાખોટા તળાવમાં વિનોદ પરમાર નામના યુવાનનો મૃતદેહ મળ્યો :આધારકાર્ડના આધારે ઓળખ

જામનગરના લાખોટા તળાવમાં વિનોદ પરમાર નામના યુવાનનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક ઘટના સાથે દોડી જઇ તળાવના પાછળના ભાગે ગાર્ડન નજીકથી તળાવના પાણીમાં દેખાતા મૃત દેહને કાઢી આ અંગે પોલીસને જાણ કરી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલું આધારકાર્ડ માં વિનોદભાઇ પરમાર નામના વ્યક્તિ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બાઈ ની વાડી પાસે રહેતા હોવાનું ખુલ્યું છે જ્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(8:41 pm IST)