Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું - આવી જ જાવ અમે ક્યાં ના પાડીએ છીએ જેને આવવું હોય એને

જામનગર ભાગવત્ કથામાંથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પરત જતી વખતે વિરોધપક્ષ ઉપનેતા શૈલેષ પરમારને ગાડીમાં સાથે આવવા આમંત્રણ આપ્યું : શૈલેષ પરમાર અને ભૂપેન્દ્ર ભાઈ પટેલ અમદાવાદથી જ સાથે આવતા ઉઠ્યા સવાલ

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારને ત્યાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. આ કથામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામેલ થઈ રહ્યા છે. જેથી અનેક કયાસો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ  પટેલે પરત ફરતી વખતે વિરોધપક્ષ ઉપનેતા શૈલેષ પરમારને ગાડીમાં સાથે આવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે એવા પણ સવાલો ઉઠ્યા છે કે શૈલેષ પરમાર અમદાવાદથી જ મુખ્યમંત્રીની સાથે આવ્યા હતા.

જામનગર ભાગવત્ કથામાંથી સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલે પરત જતી વખતે વિરોધપક્ષ ઉપનેતા શૈલેષ પરમારને ગાડીમાં સાથે આવવા આમંત્રણ આપ્યું હતુ. સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે કહ્યું હતું કે આવી જ જાવ અમે ક્યાં ના પાડીએ છીએ જેને આવવું હોય એને. શૈલેષ પરમાર અને ભૂપેન્દ્ર ભાઈ પટેલ અમદાવાદથી જ સાથે આવ્યા હતા તેવા સવાલો પણ ઉઠ્યા છે.

(12:23 am IST)