Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગીર સોમનાથ જિ. કક્ષાનો વન મહોત્સવ સોમનાથમાં યોજાયો

ગુજરાતે સમગ્ર દેશને એક નવી દિશા આપી છે મંત્રીશ્રી આહિર

પ્રભાસ પાટણ,તા.૭: સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમા ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

 આ તકે મંત્રીશ્રી વાસણભાઈ આહિર જણાવ્યું હતું કે,ઙ્ગકોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. ૭૧ મા વન મહોત્સવની શુભકામના પાઠવી વધુમાં જણાવ્યું હતું કે,ઙ્ગગુજરાતે સમગ્ર દેશને એક નવી દિશા આપી છે. કર્મચારીઓ કર્મયોગી બની ફરજ બજાવી રહ્યા છે. વન મહોત્સવ નિમિતે લોકો વૃક્ષોનું રોપણ કરી તેનું જતન કરવાની ખાસ જરૂરીયાત છે.

રાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ કહ્યું હતું કે,ઙ્ગવૃક્ષ આપણને આયુર્વેદિક રીતે નવી જીંદગી આપે છે. વન સરંક્ષકશ્રી વિજય રાણાએ જણાવ્યું હતું કે,ઙ્ગલોકોએ વધુમાંવધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવું જોઈએ. મંત્રશ્રીએ આરોગ્ય રથને લીલીઝંડી આપી હતી. આરોગ્ય રથ દ્રારા જુદા-જુદા વિસ્તારમાં રોગ પ્રતિકારકતા વર્ધક રોપાઓનું વિતરણ કરવામાં આવશે. સામાજીક વનીકરણ વિભાગ દ્રારા આયોજીત વનમહોત્સવમાં લીમડો,પારસપીપળો,ઙ્ગઆંબળા,ઙ્ગશરૂ,ઙ્ગરૂદ્રાક્ષ,ઙ્ગચંદન સહિતના ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ૪૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા,ઙ્ગઅગ્રણીશ્રી ઝવેરીભાઈ ઠકરાર,ઙ્ગડાયાભાઈ જાલોંધરા,કલેકટરશ્રી અજયપ્રકાશ,ઙ્ગજિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર,ઙ્ગજિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી,ઙ્ગનાયબ વન સરંક્ષક શોભીતા અગ્રવાલ,ઙ્ગસોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીશ્રી જે.ડી.પરમાર,ઙ્ગજનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદદનીશ વન સંરક્ષક ઉષ્મા નાણાવટીએ કર્યું હતું.

(11:29 am IST)