Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉનામાં અયોધ્યા રામ મંદિર શિલાન્યાસની ઉજવણી

ઉનાઃ શહેરમાં તથા તાલુકામાં રામજી મંદિરોમાં અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપુજન કરાતા ઉત્સવનો માહોલ જોવા મળેલ હતા. પ્રાચીન રામજી મંદિરમાં રામ-લક્ષ્મણ,સીતાને ફુલોથી શણગારેલ ચોકમાં રંગોળી પુરી હતી. બપોરે ૧ વાગ્યે આરતી કરી હતી. તેમજ શૈયદરાજપરા ગામે પણ વાજતે ગાજતે રામજીમંદિરે પહોંચી આરતી તથા લાડુનો પ્રસાદ વિતરણ કરાયો હતો. ગીરગઢડામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા રામજી મંદિર શણગારી અને આરતી કરી સવામણ લાડુનો પ્રસાદ ભકતોને વિતરણ કરી અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન ઉજવણી કરવામાં આવી હતી.

(11:36 am IST)