Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોનાના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીમાં દ્વારકાધીશ મંદિર ભાવિકો માટે બંધ

દ્વારકા, તા., ૭: ઇતિહાસમાં સૌપ્રથમ વખત જન્માષ્ટમીના તહેવારોમાં દ્વારકાધીશ જગતમંદિરના દ્વાર ભાવીકો માટે બંધ રહેશે.

જન્માષ્ટમીએ દોઢ લાખ ભાવીકો ઉમટવાની શકયતા છે. આ ઉપરાંત લાંબી રજાઓ હોવાથી આ સંખ્યા વધી શકે એમ છે. જેથી હાલ કોરોના સંક્રમણ ધ્યાને લેતા તકેદારી તેમજ સાવચેતી ભાગરૂપે આગામી જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન તા.૧૦-૮-ર૦ર૦ થી ૧૩-૮-૨૦૨૦ ચાર દિવસ યાત્રીકો માટે પ્રવેશ બંધ રાખવા અભિપ્રાય આપેલ છે.

આ દિવસ દરમિયાન દ્વારકાધીશ મંદિરના પુજારી તેમજ સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારીઓને જ પ્રવેશ મળશે.

(11:39 am IST)