Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં ચલાલા ખાતે જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ સંપન્ન

અમરેલી, તા.૭: અન્ન અને નાગરિક પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં ચલાલાના ગાયત્રી મંદિર મહિલા કોલેજના પટાંગણમાં જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃત્ત્િ।માં વન્ય સંપદાઓનું મહત્વ અનેરું છે. વૃક્ષોથી વાતાવરણ હરિયાળું અને ખુશનુમા બને છે. મેદ્યરાજાની મહેર પણ વૃક્ષોને આભારી છે ત્યારે માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ કાયમ માટે પ્રસ્થાપિત થાય તે આવકારદાયક છે. મંત્રીશ્રીએ ભાવિ પેઢી માટે વૃક્ષોને વિરાટી વિરાસત ગણાવતા કહ્યું કે, વૃક્ષનું વાવેતર અને વન-વનસંપદાઓનું મહત્વ જળવાયેલું રહે તે માટે જનજાગૃત્ત્િ। આવશ્યક છે. વન અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે હાથ ધરવા આવતા પગલામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વરસાદ એ વૃક્ષને આધારિત છે, દક્ષિણ દિશામાં વૃક્ષોનું વાવેતર કરી વાદળોને આકર્ષવામાં આવે છે, જે વરસાદ ખેંચી લાવે છે. દરેક વૃક્ષ ઓકિસજનનો મુખ્ય સ્ત્રોત છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃત્ત્િ।ક વિપદાઓ અને ગ્લોબલ વોર્મિંગને લીધે નુકશાન થતું જોવા મળે છે. વૃક્ષોમાં દ્યટાડો થતાં પર્યાવરણ પર અસરો થાય છે. તેમણે વન વિભાગની કામગીરી અને પ્રવૃત્ત્િ।ઓની વિગતો આપતા ઉમેર્યુ કે, રોપાઓનું વિતરણ કરવામાં આવે છે પરંતુ તેના ઉછેરની જવાબદારી આપણા સર્વની છે. કોરોનાની મહામારી સામે આપણે સૌ જંગ લડીએ છીએ ત્યારે મંત્રીશ્રીએ તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સરકારની ગાઇડલાઇન્સને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.ઙ્ગ

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, પ્રત્યેક જીવમાં શિવ સૂત્રને સાકાર કરવા રાજય સરકારે શરૂ કરેલી વનીકરણની પ્રવૃત્ત્િ।ઓ અને વન મહોત્સવના કારણે મોટું પરિવર્તન આવ્યું છે. વનીકરણની પ્રવૃત્ત્િ।ને લીધે ગુજરાત રાજય હરિયાળું બન્યું છે. નાગરિકોને વૃક્ષઉછેરમાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી. જંગલ બહારના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે પગલાઓ હાથ ધરવામાં આવે તે આવશ્યક જણાય છે. વનસંપદાઓમાં વૃદ્ઘિ કરવા નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, રાજયમાં વનકેન્દ્રો અને વનચેતના કેન્દ્રો ઙ્ગશરૂ કરવામાં આવ્યા છે. રોજબરોજના જીવનમાં અને આયુર્વેદમાં વૃક્ષો અને તેના ઉપયોગનું વિશેષ મહત્વ છે.ઙ્ગ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં વૃક્ષ ઉછેર અને જતન કરનાર પર્યાવરણ પ્રેમીઓને તેમજ વનકર્મિઓની ઉત્ત્।મ કામગીરી બદલ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા તેમજ શ્રમયોગીઓને વાસણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષ વાવેતર કર્યુ હતું. મંત્રીશ્રીએ લીલીઝંડી ફરકાવી વૃક્ષ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો. એ. પી. સીંગ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, નાયબ વન સંરક્ષક ડો. પ્રિયંકા ગેહલોત, પૂર્વ ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, સર્વ અગ્રણી શ્રી વી.વી. વદ્યાસીયા, હિરેનભાઇ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઇ કાનાણી તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)