Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પોરબંદરમાં ર૩ ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિ

કોરોનાને લીધે સાદગી પૂર્ણ સ્થાપનની પૂજનવિધ સંપન્ન

પોરબંદર તા. ૭ :.. છાંયા ક્રિષ્ના પાર્કમાં હનુમાનજીની ર૩ ફુટ ઉંચી મૂર્તિ નિર્માણ કરીને તેની સ્થાપન વિધી કરેલ હતી. આ મૂર્તિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું તે શુભ દિવસે પોરબંદરમાં નિર્માણ થયેલ ર૩ ફુટ ઉંચી હનુમાન મૂર્તિની સ્થાપન વિધી કરવામાં આવી હતી. કોરાના મહામારીને લીધે મૂર્તિ સ્થાપન પૂજન વિધી સાદગીપુર્ણ સંપન્ન કરવામાં આવી હતી.

શહેરમાં ર૩ ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિ નિર્માણ કરવા માટે સેવાભાવી અજયભાઇ ઓડેદરા તથા હનુમાન ભકતોએ જહેમત ઉઠાવી હતી. સેવાભાવી અજયભાઇ ઓડેદરાએ લોકડાઉન દરમિયાન લોકોને વિનામુલ્યે ભોજન પહોંચાડયું હતું.

(11:58 am IST)