Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમરેલીમાં અયોધ્યાના શ્રીરામ મંદિર શિલાન્યાસ પ્રસંગની દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં ઉજવણી

અમરેલી, તા. ૭ : શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે લોકોની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યા રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું અને એક ઐતિહાસિક મંદિર નિર્માણ થશે ત્યારે તેવા દિવ્ય અવસરે હર્ષો ઉલ્લાસ સાથે અમરેલી સુખનાથ મંદિર ચોક ખાતે ફટાકડા ફોડી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં મોં મીઠા કર્યા હતાં.

આ દિવ્ય અવસરે દિલીપભાઇ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા, કૌશિકભાઇ વેકરીયા, મુકેશભાઇ સંઘાણી તુષાર જોષી, મનીષભાઇ ધરાજીયા, ઘનશ્યામભાઇ ત્રાપસીયા, જેન્તીભાઇ પાનસુરીયા, ભાવનાબેન ગોંડલીયા, જેન્તીભાઇ પાનસુરીયા, મનીષભાઇ સંઘાણી, અલ્કાબેન ગોંડલીયા, સંજય રામાણી, કોમલબેન રામાણી, મૌલિક ઉપાધ્યાય, યોગેશ ગણાત્રા, ભગીરથ ત્રિવેદી, રજનીકાંત રાવળ, રાજેશ માંગરોળીયા સંજય (ચંદુ) રામાણી, વાણી, ઋજુલ ગોંડલીયા, જીજ્ઞેશ (ડેની) રામાણી, ઘનશ્યામ રામાણી, નેહલ (ગટુ) રામાણી, રાજન ચોડવડીયા, કોશિક રામાણી, ભાવિક રામાણી, ચિરાગ ચાવડા, દિલાભાઇ વાળા, કિશન રામાણી, ભાવેશ સંઘાણી, વિજય સંઘાણી, કમલેશ સંઘાણી, રવિ ચોડવડીયા, ભાવેશ વાળોદરા, નિકુંજ રામાણી, સુનિલ સંઘાણી, દિલીપ રામાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં તેમ અખબારી યાદીમાં જણાવાયેલ છે.

(1:10 pm IST)