Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબી નજીકના વનાળીયા ગામે હિંગળામાતાજીના મંદિરે શરદપૂનમેં ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન

યજમાન તરીકે મૂળ બિલિયાના રહેવાસી અને હાલમાં જામનગર રહેતા સુરેશચંદ્ર અનંતરાય ભટ્ટ બેસશે

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે.આગામી તા.૯ ને રવિવારે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે મૂળ બિલિયાના રહેવાસી અને હાલમાં જામનગર રહેતા સુરેશચંદ્ર અનંતરાય ભટ્ટ બેસવાના છે.આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, જે.પી.ભટૃ, દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ, દિપકભાઇ નાનાલાલ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:04 am IST)