Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સામખિયાળી તળાવમાં મૂર્તિ પધરાવવા ગયેલ ઉત્તરપ્રદેશના યુવકનું ડૂબી જવાથી કરૂણમોત

મરણ જનાર મહાદેવ ભચાઉ નજીક આવેલી ફેક્ટરીમાં મજૂરી કરતો હતો

ભુજ : સામખિયાળી બસ સ્ટેન્ડ નજીક આવેલાં તળાવમાં ગત રાત્રે મૂર્તિ પધરાવવા ગયેલો ઉત્તરપ્રદેશનો યુવક અકસ્માતે તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. આજે સવારે ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મરણ જનાર મહાદેવ ભચાઉ નજીક આવેલી ફેક્ટરીમાં મજૂરી કરતો હતો અને ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતો હતો. ઘટના અંગે સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે

(12:17 am IST)