Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડિયા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ડાયાલિસિસ સેન્‍ટર શરૂ કરાશે

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૭: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયા ખાતે ડાયાલિસિસ સેન્‍ટર શરૂ થઈ રહ્યું છે ત્‍યારે વડિયા તેમજ આસપાસના વિસ્‍તારોના દર્દીઓને બહાર ડાયાલિસિસ કરવા માટે ધક્કા નહીં ખાવા પડે.

ઉલ્લેખનીય છે કે વડિયા સહિતના વિસ્‍તારોમાં ડાયાલિસિસના દર્દીઓને અમરેલી જેતપુર ગોંડલ જુનાગઢ સહિતના શહેરોમાં ડાયાલિસિસ કરવા માટે જવું પડે છે જે હવે પછી બહાર જવાનો સમય અને ધક્કો બચી જશે.

આજરોજ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, વડિયા ખાતે શરુ થનાર ડાયાલીસીસ સેન્‍ટરમાં IKDRCની ટીમ દ્વારા ડેમો પેશન્‍ટનું ડાયાલીસીસ કરવામાં આવ્‍યું હતું જેમાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના અધિક્ષક ડો.એમ સી ગજેરા, તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.  પીઠવા ડો. ભાર્ગવ વ્‍યાસ, ડો. પ્રતિક ડોડીયા, ડો. પ્રતાપ જામ્‍બુવા, જયેશભાઈ સાવલીયા, વિપુલભાઈ ધોરાજીયા અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના અન્‍ય અધિકારી અને કર્મચારીઓએ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમાં ખુબ સહકાર આપ્‍યો હતો.

(10:40 am IST)