Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ધનશ્‍યામ દાસબાપુના પ્રાગટય દિવસની ઉજવણી

બાબરાઃ તાપડીયા આશ્રમ ના મહંત ધનશ્‍યામ દાસ બાપુ ના પ્રાગટય દિવસ ની ઉજવણી સાદગી સાથે કરવામાં આવી હતી પૂજ્‍ય સંત શ્રી ધનશ્‍યામદાસ બાપુ ના નિરોગી અને લાંબા આયુષ્‍ય માટે માર્કન્‍ડ પૂજા કરવામાં આવી હતી બાપુના શિષ્‍ય હિતેનભાઇ જસાણી પરીવાર બાબરા હાલ સુરત  દ્વારા પરમ પૂજ્‍ય શ્રી ધનશ્‍યામ દાસ બાપુ ને શ્રીરામચંદ્ર જી નો શ્રૂગાર ધરાવી આશીર્વાદ મેળવ્‍યા હતા અને બાપુ ના પ્રાગટય દિવસની ઉજવણી કરી હતી.

(2:16 pm IST)