Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મોરબી રાજ્યમંત્રીએ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી અર્પણ કરી.

મોરબીના બ્રહ્મ સમાજ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ માટે રાખવામાં આવ્યો હતો.વડાપ્રધાનના દીર્ઘાયુ માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી.
મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ગત ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ અર્થે મહામૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહામૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞમાં(પંચાયત,શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર,(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ,ગ્રામ ગૃહ નિર્માણના) રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિશેષ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતી અર્પણ કરી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
હાલમાં પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાફલા સાથે બનેલ ઘટનાનો વિરોધ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતાયુ માટે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા મૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતુ.આ તકે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિત મોરબી જિલ્લા,શહેર સંગઠન પરિવારના અગ્રણીઓ,હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:34 pm IST)