Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જેતપુરના જેતલસર જંકશન સત્યમ વિદ્યાલયમાં ૧૦૦ ટકા રસીકરણ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૮ ઃ કોવીડની મહામારીમાંથી રક્ષણ મેળવવા સરકાર દ્વારા હાલ ૧પ થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન આપવાનું અભિયાન શરૃ કરવામાં આવેલ હોય જેમાં દરેક સ્કુલમાં જઇ તેના વિદ્યાર્થીઓને વેકસીન આપવામાં આવે તે જે અંતર્ગત જેતલસર જંકશનની સત્યમ કન્યા વિદ્યાલયમાં શાળાના ટ્રસ્ટી પ્રવિણભાઇ ઠુંમરે બાળકોને સાચી સમજ આપી જેતલસર પીઆરટીસી ના કર્મચારીના સહકારથી શાળાના તમામ ૧પ થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓને વેકસીન આપી ૧૦૦ ટકા રસીકરણ કરાવેલ.

(1:15 pm IST)