Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસો.ના પ્રમુખ પદે ટંકારા-ધ્રુવનગરનાં ધ્રુવકુમારસિંહ જાડેજા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૮: કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશનના પ્રમુખ પદે ધ્રુવનગરના રાજવી પરિવારના શ્રી ધ્રુવકુમારસિંહજી જાડેજાની વરણી થતાં અભિનંદન વર્ષા થઇ રહેલ છે.

શ્રી કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશનના પ્રમુખ પદે તાજેતરમાં ધ્રુવનગર ના રાજવી પરિવારના શ્રી ધ્રુવકુમાર સિંહજી જાડેજાની વરણી થતાં ટંકારા તાલુકા, મોરબી, રાજકોટ તથા ભાવનગર જિલ્લાના ગરાસીયા સમાજે ધ્રુવ દાદાની વરણીને હર્ષભેર વધાવી લીધી છે અને આનંદની લાગણી વ્યકત કરેલ છે.

શ્રી ધ્રુવ કુમારસિંહજી જાડેજા ઉપર તેમના સગા સંબંધીઓ ,રાજકીય અગ્રણીઓ ટેકેદારો, કાર્યકરો તથા ધ્રુવનગરના ગ્રામજનો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

ધ્રુવનગરના દેવકરણભાઈ દેવરાજભાઈ ભટાસણા,શામજીભાઈ ભટાસણા, ચંદુભાઈ દેવકરણભાઈ, રાજેશભાઈ દેવકરણભાઈ, વલ્લભભાઈ હીરાભાઈ ભટાસણા, ભટાસણા, ધર્મેન્દ્રભાઈ ભટાસણા, અરવિંદભાઈ ભટાસણા જસમતભાઈ ઢેઢી તથા ધીરુભાઈ ડાકા વિગેરે દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(11:52 am IST)