Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જોડિયા ગીતા વિદ્યાલયમાં પૂ. વિરાગમુનિજીની પુણ્યતિથી નિમિતે સુંદરકાંડ પાઠ

વાંકાનેર : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટશ્રી ગીતા વિદ્યાલય , જોડિયાધામના સંસ્થાપક શ્રી વિરાગમુનિજીની ( ૨૬ મી ) પુણ્યતિથિ નિમિતે જોડિયાધામ ખાતે શ્રી ગીતા વિધાલય ખાતે સવારના પૂજય શ્રી વિરાગમુનિજીનુ પૂજન અર્ચનવિધિ શ્રી ગીતા વિદ્યાલયના શાસ્ત્રીજી શ્રી ઉદયભાઈએ કરેલ હતું , તેમજ શ્રી વિરાગમુનિજીએ જયાં છેલ્લા પ્રાણ છોડિયાં ઈ ઘંટેસ્વર નજીક વિરાગવડ જગ્યાએ જોડિયાધામના શ્રી ગીતા વિદ્યાલય પરિવારના સહુ સાધક ભાવિક ભકતજનોએ તેમજ લક્ષ્મીપરાના સુંદરકાંડ મંડળએ શ્રદ્ઘાપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે વિરાગવડની ભૂમિમાં સંગીતમય સુંદરકાંડના પાઠ, ધૂન, સંકીર્તન સામુહિકમાં કરેલા હતા આ પ્રંસગે શ્રી ગીતા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ ચંદારાણા, વિનાભાઇ કાનાણી , ભતુંભાઈ નકુમ ,રમેશભાઈ ચંદારાણા સહિતના ભાવિક ભકતજનો એ સામુહિકમાં પાઠ શનિવારે સાંજના ચારથી છ દરમ્યાન કરેલા હતા ઉપરોકત તસ્વીર જયાં શ્રી વિરાગમુનિજીનુ એકસીડેન્ટ થયેલ જયાં શ્રી વિરાગ વડ વાવેલ જયાં વિરાગ વડની જગ્યાએ સુંદરકાંડના પાઠ કરતા સાધક ભાવિકો નજરે પડે છે. ( તસ્વીર, અહેવાલ - હિતેશ રાચ્છ , વાંકાનેર)

(11:59 am IST)