Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પોરબંદર જિલ્લામાં ૧૫ દિવસથી કોરાનાનો એક પણ નવો કેસ નથી

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮ રૂ. જિલ્લામાં ૧૫ દિવસથી કોરાનાનો એક પણ નવો કેસ આવેલ નથી. ગઈકાલે ૫૧૬ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતા. જે તમામના નેગેટીવ રિપોર્ટ આવેલ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાનાના કુલ ૯૯૬૦૦ ટેસ્ટ કરવામાં આવેલ છે. જિલ્લામાં ૨૪ કલાકમા કોરાનાની સારવાલ લેતા એક પણ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા અપાઈ નથી. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાની સારવારમાં રહેલ કુલ ૯૬૧ દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા અપાઈ છે.

(1:50 pm IST)