Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મુંદ્રા પ્રકરણમાં ડી.વાય.એસ.પી. દ્વારા ન્યાયની ખાત્રી : મૃતદેહ સ્વીકારી લેવાયો

ભુજ-મુંદ્રા, તા. ૮ :  કચ્છના મુંદ્રા તાલુકાના સમા ઘોઘાના ચારણ ગઢવી સમાજના બીજા યુવક હરજુક ગઢવીનું અમદવાાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ સામે ભારે આક્રોશ ફેલાયો છે. આજે ગઢવી સમાજ દ્વારા આયોજીત સંમેલનમાં ડી.વાય.એસ.પી. શ્રી પંચાલે ન્યાય આપવાની ખાત્રી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારીને અંતિમ વિધિ કરી હતી.

મુંદ્રાનો અહેવાલ

મુંદ્રાના પ્રતિનિધિ રામ ગઢવીના અહેવાલમાં જણાવ્યું છે કે આજની બેઠકમાં સમાજમાં આગેવાન સામરા રામ સેડા, વાલજી લાખાણી ડોસાભાઇ બાતિયા, વિરમભાઇ ગઢવી વગેરે સમાજના આગેવાનો હાજર રહીને શાંતિપૂર્વક બંધને સફળ બનાવીએ કોઇપણ સમાજનો યુવાનો અને વડિલો વગેરેએ કોઇપણ કાયદો હાથમાં ના લે તેવી અપીલ કરવામાં આવી હતી.

(3:41 pm IST)