Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કેશોદમાં પ્રાણ પ્રતિષ્‍ઠા

કેશોદ : કામનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નું આયોજન કરવામાં આવેલ હતુ.  વેરાવળ રોડ પર આવેલ માધવ  સોસાયટીના રહીશો દ્વારા તે વિસ્‍તારમાં ભગવાન શ્રી શંકર ભગવાનને બિરાજમાનકરવાનો સંકલ્‍પ કરેલો હતો. તે માટે આસપાસના રહેવાસીઓ તથા દાતાઓ દ્વારા ભગવાન શંકરને બિરાજમાન કરવા માટે કામનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું ત્રિ દિવસીય આયોજન કરવામાં આવેલ હતું પ્રથમ દિવસે ગણપતિ પૂજન, માધવ દ્વાર ના સાર્વજનિક પ્‍લોટ થી નગરયાત્રા તેમજ વિવિધ મૂર્તિઓનું જલાધીવાસ તેમજ કેશવ કળપા ગૌશાળા શેરગઢ દ્વારા ધૂન ભજન નું આયોજન કરવામાં આવ્‍યું હતુ. કાર્યક્રમના બીજા દિવસે ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કેશોદના ભામાશા ગણાતા હીરાભાઈ જોટવા દ્વારા હાજરી આપી યોગદાન આપવામાં આવેલું હતું આ -સંગે ભારત વિકાસ પરિષદના ડો.તોહલભાઈ તન્ના તેમજ સભ્‍યોનું સન્‍માન કરવામાં આવેલું હતુ. કાર્યક્રમના છેલ્લા દિવસે શંકર ભગવાનની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્‍ઠા કરી મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું હતુ. સંચાલન ભુપેન્‍દ્રભાઈ જોશીએ કરેલ હતુ. ભીખુભાઈ કોદાવાલા, કરમટાભાઈ જોશીભાઈ વેકરીયાભાઈ તેમજ પંડ્‍યા ભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(1:00 pm IST)