Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કેશોદમાં આહીર યુવા મંચ દ્વારા સમુહ લગ્ન

તા.૧૮ના ૪૫ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે

(કિશોરભાઈ  દેવાણી દ્વારા) કેશોદ,તા.૮ : સમુહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્‍થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનુ સામુહીક આયોજન.વધતી જતી મોઘવારી અને દેખા દેખીથી લગ્નમાં થતા બેફામ ખર્ચાઓ સામૅ સમુહ લગ્નો આશીર્વાદ રૂપ છે..જેમાં ખર્ચ સાથૅ સમયનો બચાવ થાય છે.તથા એક સાથૅ અનેક શ્રેષ્‍ઠીઓ લગ્નમાં હાજર રહી શકે છે..

 આહીર યુવા મંચ-કેશોદ દ્વારા અગાઉ ૮ સમુહ લગ્નનોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સમાજના અગ્રણી દાતાઓ દ્વારા સાથ સહકાર મળેલ છે.આગામી તા.૧૮ના રોજ ચાદીગઢના પાટીયા પાસે આવેલ આહીર યુવા મંચ-કેશોદ સંચાલિત આહીર સમાજની વાડીમાં  ૯મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ૪૫ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે,આહીર યુવા મંચ આયોજીત આ સમુહ લગ્નમાં આહીર સમાજના રાજકીય, સામાજિક અગ્રણીઓ જાનૈયાઓ માનૈયાઓ  ઉપસ્‍થિત રહેશે.

(1:09 pm IST)