Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભાવનગરમાં દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા મહોર્રમ મનાવાયો

ભાવનગર : શહેર જીલ્લાના દાઉદી વ્‍હોરા મુસ્‍લિમ સમાજ દ્વારા રવિવારે હઝરત ઇમામ હુસૈન અને કરબલાના મહાન શહીદોની યાદમાં મહોર્રમના અસુરાનો દિવસ મનાવવામાં આવ્‍યો હતો. જેમાં ખાસ કરીને નજમી મસ્‍જીદમાં શેખ કુત્‍બુદ્દીનભાઇ સુનેલવાલા અને ઝૈની મસ્‍જીદમાં મુ. મુસ્‍તફાભાઇ કુકસીવાલા હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં વાએઝ ફરમાવ્‍યુ હતું. આસુરાની ખાસ દુવાઓ કરવામાં આવી હતી. અને ગરીબ બાદ રોઝા ઇફતારી અને ન્‍યાઝના કાર્યક્રમો પણ દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા રાખવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અંજુમને બુરહાની કમીટી દ્વારા જહેમત ઉઠાવી હતી.

(10:17 am IST)