Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કચ્‍છના અંજારમાં ભંગારના વાડામાં વિસ્‍ફોટ થતાં બે ના મોત

ફ્રીજનું કમ્‍પ્રેશર તોડતી વખતે ધડાકો થયોઃ અંજારમાં તાજીયા જોવા આવેલ સુલતાન ત્‍યાંથી પસાર થયો અને મોત આંબી ગયું: ધડાકાને પગલે લોકોમાં ગભરાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮: કચ્‍છમાં ભંગારના વાડા માં બનેલ દુર્ઘટના એ બે જણનો જીવ લીધો હતો. ગઇકાલે સાંજે અંજારના ચંપક જીન પાસે આવેલ ગનીભાઈના વાડામાં ફ્રીજનું કમપ્રેશર તોડતી વખતે એકાએક ધડાકા સાથે વિસ્‍ફોટ થયો હતો. આ અવાજ સાંભળીને લોકોમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો. આ બનાવમાં સુલતાન રાઉમા (ઉ.૩૪) અને બબલુ (ઉ.૩૫) ના અરેરાટી ભર્યા મોત નીપજ્‍યા હતા. જોકે, સુલતાન રાઉમા ચિત્રોડ (ભચાઉ) થી અંજારમાં તાજીયા જોવા આવ્‍યો હતો અને બનાવ સમયે ત્‍યાંથી પસાર થઈ રહ્યો હતો ત્‍યારે જ ધડાકો થતાં તેનું મોત નિપજ્‍યું હતું. કમપ્રેશર તોડી રહેલ મળતક બબલુ રાજસ્‍થાનનો વતની હતો અને અહી કામ કરતો હતો. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)