Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ખરેડી ખાતે ગૌ વંશ માટે ૨૨૫ કિલો આયુર્વેદિક લાડુ બનાવાયા

કાલાવડઃ પટેલ સમાજ- ખરેડી ખાતે લમ્‍પી રોગથી ગૌવંશને બચવવા માટે ૨૨૫ કિલો આયુર્વેદિક લાડુ બનાવવામા આવ્‍યા હતા. જેમા ચિરાગ જોશી, શૈલેશભાઈ ઘાડિયા, જમનભાઈ કોઠીયા, સાગરભાઈ ઘાડિયા, ઘનશ્‍યામ કોઠીયા,રાકેશભાઈ ઘાડિયા, રમેશભાઈ કોઠીયા, કાલાવડ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ શીંગાળાએ આ સેવાકીય કાર્યમા સહયોગ આપ્‍યો હતો.

(11:14 am IST)