Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગોંડલ આશાપુરા અન્‍ડરબ્રીજ ૧૫મી સુધી સમારકામ માટે રેલવે તંત્ર દ્વારા બંધ

પાલિકાએ સિમેન્‍ટ રોડ બનાવવા વાહન વ્‍યવહાર બંધ કરી ફરી શરૂ કર્યાને ગણતરીના દિવસો વીત્‍યા નથી ત્‍યાં ફરી માર્ગ બંધ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: ગોંડલ શહેરનાં માથાના દુઃખાવા સમાન આશાપુરા અંડર બ્રીજમાંથી પસાર થવું મુશ્‍કેલ છે ત્‍યારે તાજેરમાંજ પાલિકા એ સિમેન્‍ટ રોડ બનાવવા વાહન વ્‍યવહાર બંધ કરી દિધો હતો જે ફરી શરૂ થયો ને ગણતરીનાં દિવસો વીત્‍યા નથી ત્‍યાં ફરી રેલવે તંત્રએ સમાર કામ માટે આગામી પંદરમી ઓગસ્‍ટ સુધી બંધ કરવાનું ફરમાન જાહેર કરતાં વાહન ચાલકો ની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે.

રેલવે તંત્રએ પાલિકા અને પોલીસ તંત્રને લેખિતમાં જાણ કરી હતી કે આશાપુરા ફાટક અન્‍ડર બ્રિજ એટલે કે એલએચએસ નંબર-૩૫ માં કેટલાક સમારકામની કામગીરી ની તાકીદે જરૂરી છે.ᅠ અંડર બ્રિજમાં મેન અને મશીનરી દ્વારા રીપેરીંગની કામગીરી કરવામાં આવશે.ᅠ સમારકામના કામ માટે અંડર બ્રિજ તા.૧૫ ઓગસ્‍ટᅠ સુધી બંધ રાખવો જરૂરી હોય ટ્રાફિકને વૈકલ્‍પિક માર્ગે ડાયવર્ટ કરવો જરૂરી છે તેવું જણાવ્‍યું હતું.

રેલવે તંત્ર દ્વારા કામ હાથ ધરાયુ હોય પરિણામે પોલીસ અને પાલિકા એ કામગીરી હાથ ધરી હાલ આગામી પંદરમી ઓગસ્‍ટ સુધી આ અંડર બ્રિજ નો ઉપયોગ બંધ કર્યો છે.

(12:48 pm IST)