Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગર જીઇબીના ત્રણ જુનિયર ઇજનેર સહિત ૧૧ને કોરોના વળગતા ખળભળાટ

તમામને જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા : ૨૬૦ કર્મચારીના ટેસ્ટ કરાયા

રાજકોટ તા. ૮ : જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમિતને કારણે શહેરમાં એન્ટીજન ટેસ્ટ શરૂ કરાયા છે, ગઇકાલે જામનગર પીજીવીસીએલ ઓફિસના ૨૬૦ કર્મચારીને ટેસ્ટ કરાતા તેમાંથી ત્રણ જુનીયર ઇજનેર સહિત ૧૧ કર્મચારીને કોરોના જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે, કોર્પોરેશનના ધનવંતરી રથ દ્વારા ટેસ્ટીંગ કરાયું હતું. પોઝીટીવ આવનાર તમામને જીજી હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે.

(11:43 am IST)