Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જોડિયાઃ માં નવદુર્ગા સમિતિ ગરબા મંડળની બાળાઓને પ્રથમ નોરતે 'લ્હાણી' પ્રસાદી

 વાંકાનેરઃ જોડિયામાં નવદુર્ગા સમિતિ દ્વારા ૨૦૦૭ થી જોડિયા ગામે જુદા જુદા ૧૭ થી ૨૦ ગરબા મંડળની આશરે ૪૦૦ જેટલી બાળઓને નવરાત્રીના પ્રથમ નોરતે શ્રી અશોકભાઈ વર્મા, તથા શ્રી ભગવાનજીભાઈ, સી, વાંક પરિવાર, શ્રી સંજયભાઈ ચૌહાણ પરિવાર તરફથી તમામ બાળાઓને 'લ્હાણી' તથા પ્રસાદી આપવામાં આવેલ હતી જોડિયા ગામે જુદા જુદા ગરબા મંડળ તથા સંચાલકો તથા ગામના આગેવાનો દ્વારા જોડિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી 'નવદુર્ગા શોભાયાત્રા' કાઢી અંબાજી ચોકમાં પહોંચી સાંજના મહા આરતી કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી હાલની પરિસ્થિતિને લઈને શોભાયાત્રા કાઢવામાં આવતી નથી ગઈકાલે પ્રથમ નોરતાના શુભ પ્રારંભમાં જોડિયામાં આવેલ શ્રી અંબાજી ચોક ખાતે શ્રી અંબાજી ગરબી મંડળમાં ગામના આગેવાનો, બ્રાહ્મણો, પૂજારી શ્રી દ્વારા સાંજે 'મહા આરતી' કરવામાં આવેલ હતી ત્યારબાદ રાત્રે દરેક ગરબી મંડળમાં જઈને લ્હાણી, પ્રસાદી આપવામાં આવેલ હતી, આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કનુભાઈ રાચ્છ, જીજ્ઞેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ વાંક, ઉદયભાઈ શાસ્ત્રીજી, પરેશભાઈ ગોહેલ, તથા શ્રી અંબાજી ગરબા મંડળ દ્વારા પ્રતિ વર્ષ નવરાત્રીના પ્રથમ નોરતે સુંદર આયોજન કરવામાં આવે છે.

(10:41 am IST)