Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હડીયાણા હરસિધ્ધી માતાજી મંદિરે ધ્વાજારોહણ- પૂજા અર્ચના

રાજકોટ : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામે બિરાજતા ત્રિવેદી પરિવારના કુળદેવી શ્રી હરસિધ્ધી માતાજીના મંદિરે નવરાત્રી પ્રારંભે વર્ષોની પરંપરા મુજબ ટ્રસ્ટના પ્રમુખ તેજસ ત્રિવેદીના હસ્તે ધ્વજા રોહણ કરાવી આરતી પુજન કરાયા હતા. નવરાત્રીના નવે નવ દિવસ લોકો કન્યા પૂજા કરી તેમને પ્રસાદ ખવડાવી વ્રતના પારણા કરે છે. દશેરાએ દુર્ગા મુર્તિ વિસર્જન સાથે સમાપન કરાશે. નવરાત્રી પ્રારંભના આ પૂજા અર્ચનના કાર્યમાં પ્રમુખ તેજસ ત્રિવેદી રાજકોટ (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮), ઉપપ્રમુખ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી જામનગર, મંત્રી શશીકાંતભાઇ ત્રિવેદી જામનગર, સહમંત્રી જીજ્ઞેશભાઇ ત્રિવેદી રાજકોટ, ખજાનચી મનોજભાઇ ત્રિવેદી જામનગર, કારોબારી સભ્યો આનંદભાઇ ત્રિવેદી જામનગર, અમુલભાઇ ત્રિવેદી જામનગર, દીપકભાઇ ત્રિવેદી જામનગર, સ્મીતલભાઇ ત્રિવેદી રાજકોટ, જયદીપભાઇ ત્રિવેદી ધ્રોલ, સલાહકાર સમિતિના અશોકભાઇ ત્રિવેદી જામનગર, મેહુલભાઇ ત્રિવેદી, રાજુભાઇ ત્રિવેદી જામનગર, પ્રચાર મંત્રી રાજ ત્રિવેદી જામનગરથી ઉપસ્થિત રહ્યા હતા.

(11:29 am IST)