Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધોરાજીમાં નવરાત્રિના બીજા દિવસે પણ મેઘરાજાનુ વિઘ્ન

ભારે ગરમી ઉકળાટ અને બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો: ધીમી ધારે અડધો ઈંચ વરસાદ વરસી ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં નવરાત્રિના બીજા દિવસે પણ મેઘરાજાનુ વિઘ્ન આવ્યું છે,

ધોરાજીમાં આજરોજ સાંજના સમયે ફરી વરસાદ શરૂ થયો હતો દિવસભર ભારે ગરમી ઉકળાટ અને બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે ખેડૂતોને પાકમાં નુકશાની ની ભીતિ સેવાઈ રહી છે..
નવરાત્રિના બીજા દિવસે પણ ગરબી બંધ રહી છે
ધોરાજી પંથકમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 50 ઈચ જેવો વરસાદ નોંધાયો  છે.

(8:27 pm IST)