Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામજોધપુરના વાંસજાળીયાના સરપંચપદે બિનહરીફ જાહેર

વાંસજાળીયા તા. ૮ : જામજોધપુર તાલુકાની વાંસજાળીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ધૈયાભાઈ કાળાભાઈ મોરીની બિનહરીફ વરણી થઈ છે, તેઓ અગાઉ પણ સરપંચ પદે રહી ચૂકયા છે ફરીથી વરણી થતાં આનંદની લાગણી ફેલાઈ છે

ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ભાવેશભાઈ ઝંઝવાડિયા, મગનભાઈ દેપાણી તથા જયાબેન વગેરે સભ્યોની ટીમ ની વરણી થઈ છે. સરપંચ તથા બધા સભ્યો એ ગામના વિકાસના કાર્યો કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો જેને ગામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી.(૨૧.૧૪)

(11:56 am IST)