Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૭૨ કેસો, ૬૯ દર્દીઓ સ્વસ્થ થયા: સરકારી ચોપડે આજે એકપણ મૃત્યુ નહિ

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે કોરોનાના નવા ૭૨ કેસો સામે ૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૦૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૪ કેસો જેમાં ૨૫ ગ્રામ્ય અને ૧૯ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૪ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૪ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૩ કેસ અને માળિયા તાલુકાના ૦૭ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૭૨ કેસ નોંધાયા છે જયારે જીલ્લામાં ૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે

નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૬૮ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

(10:44 am IST)