Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

મોરબી-વાંકાનેરના ત્રણ પીએસઆઈની જીલ્લામાં આંતરિક બદલીના આદેશ

મોરબી અને વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા દ્વારા આજે ત્રણ પીએસઆઈની બદલી કરાઈ છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર પી જાડેજાની મોરબી સીટી એ ડીવીઝન, મોરબી તાલુકા મથકના પીએસઆઈ આર એ જાડેજાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં થાણા અધિકારી તરીકે જયારે સીટી એ ડીવીઝન પીએસઆઈ વી જી જેઠવાની મોરબી તાલુકા પોલીસ મથકના ડી સ્ટાફમાં બદલી કરવામાં આવી છે

(8:34 pm IST)