Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મોરબીમાં બ્રહ્મસમાજના સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્ર સમારોહ યોજાશે.

 મોરબી : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૧૨ જુનને રવિવારે સવારે ઔદીચ્ય બ્રાહ્મણ ભોજનશાળા, સબ જેલ પાછળ મોરબી ખાતે સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત્ર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
   જે સમૂહ લગ્નમાં ૨ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે તેમજ 22 કિશોરો યજ્ઞોપવિત્ર સંસ્કાર ધારણ કરશે જે માન્ગ્લીક્વીધીના આચાર્ય પદે શાસ્ત્રી વિમલભાઈ જોષી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા અને શાસ્ત્રી આશિષભાઈ મહેતા બિરાજશે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રના આયોજનમાં શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી, શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લા, શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર મોરબી, શ્રી બ્રહ્મપૂરી સોસાયટી મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ મોરબી જીલ્લો અને શ્રી સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ મોરબી જીલ્લો સહિતની સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે
  સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રના આયોજનને સફળ બનાવવા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

(11:26 pm IST)