Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

૪ માસ કાર્યકારી રહ્યા બાદ એ જ જિલ્લામાં કેયુર સંપટ કલેકટર

સુરેન્‍દ્રનગરના કલેકટર તરીકે નિમણૂક : તવારીખી ઘટના

રાજકોટ તા. ૯ : સુરેન્‍દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેયુર સંપટ ૪ મહિના ઇન્‍ચાર્જ કલેકટર રહ્યા બાદ ગઇકાલે રાજ્‍ય સરકારે તેમની પૂર્ણકાલીન કલેકટર તરીકે નિમણૂક કરતા હવે વિધિવત રીતે કલેકટર તરીકે કાર્યભાર સંભાળશે. સુરેન્‍દ્રનગરમાં તેમના સ્‍થાને જિલ્લા વિકાસ અધિકારી તરીકે મહેસુલ વિભાગના સંયુક્‍ત સચિવ પી.એન.મકવાણાની નિમણૂક કરવામાં આવી છે.  શ્રી કેયુર સંપટ ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. સુરેન્‍દ્રનગરના તત્‍કાલીન કલેકટર અમૃતેશ ઔરંગાવાડકરની દિલ્‍હી બદલી થયા બાદ ૧૦ ફેબ્રુઆરીથી તેમણે કાર્યકારી કલેકટર તરીકે જવાબદારી સંભાળેલ. કોઇ જિલ્લાના ડી.ડી.ઓ. સળંગ ૪ મહિના સુધી કાર્યકારી કલેકટર તરીકે વધારાની જવાબદારી સંભાળે અને પછી એ જ જિલ્લામાં રેગ્‍યુલર કલેકટર તરીકે નિયુક્‍ત થાય તેવું કદાચ ગુજરાતમાં પ્રથમ વખત બન્‍યું છે. શ્રી કેયુર સંપટ પર અભિનંદન વર્ષા (મો. ૯૯૭૮૪ ૦૬૨૨૩) થઇ રહી છે.

(11:25 am IST)