Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગીર સોમનાથ જિલ્લાનો કાર્યભાર સંભાળતા આઇ.બી.રાજયવર્ધનસિંહ સિસોદીયા

(મિનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ : તા. ૯: ગીર સોમનાથ જિલ્લામાં સ્‍થિત સોમનાથ મંદિરનો કાર્યભાર સંભાળતા આઇ.બી. રાજયવર્ધનસિંહ સિસોદીયાએ જણાવ્‍યુ કે, આગામી મહિનાઓમાં ઇણાજ જિલ્લા પોલીસભવન પાસે આઇ.બી.કચેરીનું નિર્માણ થશે. સાથે સોમનાથ મંદિર અને સમુદ્ર સુરક્ષા વઘુ સુર્દ બનશે.

હિંમતનગરમાં જન્‍મેલ તથા સોમનાથ મંદિર સહિતના જિલ્લાનો કાર્યભાર સંભાળતા આઇ.બી.આર.જે. સિસોદીયા બાલાચડીમાં અભ્‍યાસથી ભરતી થયેલા છે. પિતા જગદેવસિંહ તખ્‍તસિંહ સિસોદીયા કર્તવ્‍યનિષ્‍ઠાથી ફરજ બજાવી હતી. આર.જે.સિસોદીયા પ્રસંગોપાત સોમનાથ મહાદેવની આરતીમાં ઝાલર બજાવી રાષ્‍ટ્ર ઉપયોગી સર્તકતા અને નિરીક્ષણ કરતા રહે છે.

(2:25 pm IST)