Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સાવરકુંડલાઃ બકરી ઇદના તહેવારમાં પશુઓની હેરાફેરી કરનારની કનડગત ન કરવા માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૯ : અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદીન શેખ અને વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ પોલીસવડા આશિષ ભાટીયાને પત્ર પાઠવીને આગામી બકરી ઇદના તહેવારના અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા, ભેંસ, પાડા સહિત નિયમાનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનારા લોકોની કનડગત ના થાય તે માટે પરિપત્ર દ્વારા હુકમ કરવા માંગ કરી છ.ે

રજુઆતમાં જણાવ્યું છે કે આગામી તા.૧૦/૭/ર૦રર થી તા. ૧ર/૭/ર૦રર સુધી બકરી ઇદનો ધાર્મિક તહેવાર બંધારણીય અધિકાર મુજબ પરંપરાગત રીતે ઉજવી શકે માટે ગાય કે ગૌવંશ સિવાયના નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર વ્યકિતઓની ગેરબંધારણીય રીતે કટ્ટરવાદી સંગઠનો દ્વારા કનડગત તથા હેરાનગતિ ના થાય માટે ન્યાયીક આદેશ કરવા માંગ કરી છે.

(1:00 pm IST)